સૂર્યશક્તિ કિસાન યોજના (SKY) : ખેડૂતો તેમના ખેતીના વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરી શકે છે તેમજ વધારાની વીજળી ગ્રીડને વેચી શકે છે.

સૂર્યશક્તિ કિસાન યોજના ( SKY ) 2022 :- Surya Shakti Kisan Yojana એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે. આ યોજનાની જાહેરાત 23 જૂન, 2018 માં કરવામાં આવી હતી. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે, આ યોજનાનો પ્રારંભ 2 જુલાઈ, 2018 માં કરવામાં આવ્યો હતો.

સૂર્યશક્તિ કિસાન યોજના (SKY)

સમગ્ર દેશમાં ખેડૂતોની આવક વર્ષ બમણી કરવાનો નિર્ધાર કરવામાં આવેલ છે. આ નિર્ધાર પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે અનેકવિધ આયોજનો હાથ ધર્યા છે અને યોજનાઓ અમલમાં મૂકેલી છે. આ પ્રકારના આયોજનના ભાગરૂપે રાજ્યમાં બિનપરંપરાગત ક્ષેત્રે ઉર્જા વપરાશ વધારવા અને Green Energyને ઉત્તેજન આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

સૂર્યશક્તિ કિસાન યોજના (SKY) – હાઈલાઈટ્સ

યોજનાનું નામસૂર્યશક્તિ કિસાન યોજના (SKY)
અમલીકરણ કરનાર સંસ્થાગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીં
યોજના અમલમાં આવ્યાની તારીખ23 જૂન, 2018
યોજના પ્રારંભ થયાની તારીખ2 જુલાઈ, 2018
યોજના બહાર પાડવાનો હેતુઆ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો માટે વીજ ઉત્પાદન કરીને આવકવૃદ્ધિ ઊભી કરવાનો છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને વળતર આપવામાં આવશે.
અરજી પ્રક્રિયાઓનલાઈન

સૂર્યશક્તિ કિસાન યોજનાની શરૂઆત

ગાંધીનગરમાં યોજનાના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને સોલર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવા અને તેમની આવકને બમણી કરવા માટે સશક્તિકરણ માટેનું ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો માટે વીજ ઉત્પાદન કરીને આવકવૃદ્ધિ ઊભી કરવાનો છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને વળતર આપવામાં આવશે.

SKY યોજનાની વિશેષતા

આ યોજના મુજબ, હાલના વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને તેમની લોડ જરૂરિયાત મુજબ સૌર પેનલ આપવામાં આવશે. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતો ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 60 % સબસિડી આપવામાં આવે છે, જેમાં 30 % કેન્દ્ર સરકાર દ્વારા અને 30 % રાજ્ય સરકાર દ્વારા, 35 % લોન આપવામાં આવે છે. આ સાથે ખેડૂતને ૫ ટકા ખર્ચ કરવાનો રહેશે, જ્યારે બાકીનો 35 ટકા ખર્ચ 4.5 થી 6 % જેટલા સસ્તા વ્યાજદરે રાજ્ય સરકાર દ્વારા લોન તરીકે આપવામાં આવશે. આ યોજનાની અવધિ ૨૫ વર્ષ છે

ખેડૂતો આ સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકે છે અને ઉત્પન્ન થયેલ વીજળી ને રાજ્ય સરકારને વેચી પણ શકશે. જે અંતર્ગત પ્રથમ 7 વર્ષ ખેડૂતોએ ઉત્પન્ન કરેલ વીજળીના રૂ. 7 પ્રતિયુનિટ મળશે, જયારે બાકીના 18 વર્ષ સુધી ખેડૂતોઓ એ ઉત્પન્ન કરેલ વીજળીના રૂ 3.5 પ્રતિયુનિટ પ્રમાણે મળશે.

સૂર્યશક્તિ યોજનાનો ઉદેશ્ય

  • સૂર્યશક્તિ કિસાન યોજના ( SKY ) એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે.
  • આ યોજના અંતર્ગત ખેડુતોને મળશે મફત વીજળી.
  • ખેડૂતો હવે મેળવી શકશે બમણી રકમ.
  • યોજના થકી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મળશે 60 % સબસીડી.
  • 35 % લોન સહાય.
  • ઉત્પન્ન થયેલ વીજળી રાજ્ય સરકાર દ્વારા ખરીદવામાં આવશે.
  • ખેડૂતોને મળશે દિવસ દરમિયાન 12 કલાક વીજળીની સુવિધા
  • આ યોજના 25 વર્ષના સમયગાળા માટે શરૂ કરવામાં આવેલ છે

સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ગુજરાત સરકાર દ્વારા ૨૩મી જુન ૨૦૧૮, શનિવારે Surya Shakti Kisan Yojana યોજનાની જાહેરાત કરી હતી જે અંતર્ગત ખેડૂતો તેમના ખેતીના વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરી શકે છે તેમજ વધારાની વીજળી ગ્રીડને વેચી શકે છે અને વધારાની આવક મેળવી શકે છે.

Also Read:

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર સાઈટClick Here
HomePageClick Here

Leave a Comment